Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalજીવનું જોખમ છે ને એ નિકાહ પઢવા નીકળ્યા...

જીવનું જોખમ છે ને એ નિકાહ પઢવા નીકળ્યા…

દેશમાં કોરોના વાઇરસના કેસમાં પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે. કોરાના ચેપગ્રસ્તોની સંખ્યા કુલ 724 થઈ ગઈ છે. આજે દેશઆખામાંથી 30 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કોરોના વાઇરસને કારણે 17 લોકોનાં મોત થયાં છે. દેશ આખામાં સંપૂર્ણ લોકડાઉન છે. વડા પ્રધાન મોદીએ સૌ દેશવાસીઓને ઘરે રહેવાના નિર્દેશ આપ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ કરવા કહ્યું છે. કોરોના વાઇરસના રોગચાળાને લીધે કેટલાય લોકોએ પોતાનાં લગ્ન રદ કરી દીધાં છે, પણ કેટલાક લોકો લોકડાઉનનું સતત ઉલ્લંઘન કરી રહ્યા છે. જેથી પોલીસે કડક કાર્યવાહી કરવી પડે છે.

પોલીસ મંજૂરી વિના નિકાહ કરવા જાન કાઢી, પોલીસે કરી ધરપકડ

ઉત્તરાખંડમાં લોકડાઉન દરમ્યાન વગર મંજૂરીએ લગ્નની જાન તો કાઢી, પરંતુ પોલીલે કાજી અને વર સહિત આઠ લોકોની ધરપકડ કરી લીધા હતા. તેમણે પોલીસ પાસેથી મંજૂરી નહોતી લીધી અને નિકાહ (લગ્ન) કરી રહ્યા હતા. પોલીસે કાર્યવાહી કરતાં કાજી અને વરને પોલીસ સ્ટેશને પકડીને લઈ આવી.

પોલીસ અધિકારીએ કહ્યું કે જ્યાં નિકાહ થઈ રહ્યા હતા. ત્યાંથી આઠ લોકોને અલગ રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આ સંવેદનશીલ બાબત છે. તેમણે નિકાહ માટે કે જાન કાઢવા માટે મંજૂરી પણ નહોતી માગી.

કોરોનાના જોખમને જોતાં બુધવારથી દેશઆખામાં સંપૂર્ણ લોકડાઉન છે. સરકારે પણ આ લોકડાઉન માટે રૂ. 1.7 લાખ કરોડની PM ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ પણ ગરીબ, નિમ્ન વર્ગ, મહિલાઓ, જરૂરિયાત વર્ગ, દિવ્યાંગો સહિત બધા વર્ગોને રાહત આપવા માટે જાહેર કરવામાં આવ્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે સરકારના પ્રયાસો છે કે કોઈ પણ ગરીબ ભખ્યો ના રહે. આ સિવાય સરકારે લોકડાઉનમાં અસરગ્રસ્તો માટે અનેક જાહેરાતો કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular