Saturday, June 7, 2025
Google search engine
HomeNewsNationalAMUનો દરજ્જો યથાવત્: SCએ 57 વર્ષ જૂનો કેસ કર્યો રદ

AMUનો દરજ્જો યથાવત્: SCએ 57 વર્ષ જૂનો કેસ કર્યો રદ

નવી દિલ્હીઃ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના દરજ્જા અંગે સુપ્રીમ કોર્ટની સાત જજોની બેન્ચે આ મામલે ચુકાદો સંભળાવ્યો છે. સાત જજોની બેન્ચે 4-3ના બહુમતથી આ અંગે ચુકાદો આપ્યો હતો. આ બેન્ચે યુનિવર્સિટીનો દરજ્જો હાલ જાળવી રાખ્યો છે.  

આ સાથે આ ઐતિહાસિક ચુકાદામાં CJIના નેતૃત્વ હેઠળની બેન્ચે કહ્યું હતું કે લઘુમતી સંસ્થાનોના નવા માપદંડ નક્કી કરાશે અને તેની જવાબદારી ત્રણ જજોની બેન્ચને સોંપવામાં આવી છે. આ મામલે CJI સહિત ચાર જજોએ એકમત થઈને ચુકાદો આપ્યો હતો. જોકે અન્ય ત્રણ જજોએ અસહમતી દર્શાવી હતી. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માનો ચુકાદો અલગ રહ્યો હતો. આ સાથે કોર્ટે 1967નો ચુકાદો ફગાવી દીધો હતો.

આ મામલે CJI ચંદ્રચૂડે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે બંધારણની કલમ 30 હેઠળ કોઈ પણ ધાર્મિક સમુદાય સંસ્થા સ્થાપિત કરવાનો અધિકાર ધરાવે છે. જેથી આ સંસ્થાને લઘુમતી કોમનો દરજ્જો ન આપવાથી આ કલમનું ઉલ્લંઘન થશે. આ કલમ હેઠળ કોઈ પણ લઘુમતી કોમને પોતાના દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાની જ કોમના લોકોને પ્રાધાન્ય આપવાનો હક છે.

વિવાદ શો હતો?

AMUના લઘુમતી દરજ્જા અંગેનો વિવાદ 1965માં શરૂ થયો હતો. તત્કાલીન કેન્દ્ર સરકારે 20 મે, 1965એ AMU એક્ટમાં સુધારો કરીને સ્વાયત્તતા ખતમ કરી દીધી હતી. જેને અઝીઝ બાશાએ 1968માં સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે પાંચ જજોની બેન્ચે ચુકાદો આપ્યો કે AMU લઘુમતી સંસ્થા નથી. એ પછી 2006માં, AMUની JN મેડિકલ કોલેજમાં મુસ્લિમો માટે 50 ટકા MD, MS સીટો અનામત રાખવાના વિરોધમાં હિંદુ વિદ્યાર્થીઓ અલાહાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે AMU લઘુમતી સંસ્થા ન હોઈ શકે. આ નિર્ણયના વિરોધમાં AMU સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. ત્યારથી આ કેસ વિચારણા હેઠળ હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular