Monday, July 14, 2025
Google search engine
HomeNewsMumbaiઅમિતાભે રસ્તા સેનિટાઇઝ્ડ કરવાની અપીલ કરી

અમિતાભે રસ્તા સેનિટાઇઝ્ડ કરવાની અપીલ કરી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને લઈને થયેલા લોકડાઉનમાં દરેક લોકો પોતપોતાના ઘરમાં કેદ છે, ત્યારે બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ ઘેરબેઠા સોશિયલ મિડિયા પર સક્રિય છે. તેમણે હાલમાં જ કોલકાતાનો એક વિડિયો શેર કર્યો છે, જેમાં રસ્તાઓને સેનિટાઇઝ્ડ કરતા જોવા મળી રહ્યું છે. આ વિડિયો રિટ્વીટ કરતાં અમિતાભ બચ્ચને મુંબઈના અધિકારીઓને રસ્તાઓ સેનિટાઇઝ્ડ કરવાની અપીલ કરી હતી. તેમનો આ વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયો પર અનેક લોકોએ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. બિગ બી કોરોના વાઇરસ સામે સતત લોકોને જાગ્રત કરવાના પ્રયાસો કરી રહ્યા છે.  

બિગ બી સોશિયલ મિડિયા પર સક્રિય

અમિતાભ બચ્ચને કોલકાતાનો વિડિયો શેર કરતાં લખ્યું છે કે Wow, આ શાનદાર છે. મુંબઈ, હેલો… શું અધિકારીઓ કૃપા કરીને અમારા માટે આવું કરી શકે છે. આ વિડિયોમાં કોલકાતાના સેરાટ બોસ રોડ અને એની આસપાસનાં બનેલં ઘરો અને દુકાનોને સેનિટાઇઝ્ડ કરવામાં આવી રહ્યાં છે. આ વિડિયોમાં બે સરકારી વાહન ઘરોને સેનિટાઇઝ કરી રહ્યાં છે. બિગ બી સોશિયલ મિડિયા કોરોના વાઇરસ પર સતત શેર કરી રહ્યા છે.

દેશમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા વધીને 639 થઈ

કોરોનાના ચેપગ્રસ્તની વાત કરીએ તો દેશમાં આ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 639 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત થયાં છે. સૌથી વધુ કોરોનાના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 128ની થઈ ગઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular