Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsNationalઅખિલેશની મૌર્યને મોન્સુન ઓફરઃ ‘સો લાવો, સરકાર બનાવો’

અખિલેશની મૌર્યને મોન્સુન ઓફરઃ ‘સો લાવો, સરકાર બનાવો’

લખનૌઃ ઉત્તર પ્રદેશ ભાજપમાં જારી ઘમસાણની વચ્ચે SP પ્રમુખ અખિલેશ યાદવે X પર પોસ્ટ કરીને કહ્યું છે કે મોન્સુન ઓફરઃ 100 લાઓ, સરકાર બનાવો. તેમણે આ પોસ્ટમાં કોઈ પણ ભાજપના નેતાનું નામ નથી લીધું, પણ તેમની આ પોસ્ટ કેશવ પ્રસાદ મૌર્ય માટે છે. કેશવ મૌર્ય લોકસભા ચૂંટણી પરિણામ પછી અનેક વાર દિલ્હીના ચક્કર લગાવી ચૂક્યા છે. તેમની અને CM યોગીની વચ્ચે મતભેદો બહુ વધી ચૂક્યા છે.

આ પહેલાં યાદવે X પોસ્ટ પર કહ્યું હતું કે UP ભાજપમાં ખુરશીની ખેંચતાણ ચાલી રહી છે. એને કારણે રાજ્યમાં વહીવટ કોરાણે મુકાયો છે. તોડફોડનું રાજકારણ જે કામ ભાજપ અન્ય પક્ષોમાં કરે છે, હવે પક્ષમાં અંદર કરી રહ્યો છે. એટલા ભાજપ આંતરિહ કલહના કળણમાં ધસી રહ્યો છે. રાજ્યની જનતા વિશે વિચારવાળું ભાજપમાં કોઈ નથી.

આ પહેલાં કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે દેશ અને પ્રદેશ—ંને જગ્યાએ ભાજપની મજબૂત સંગઠન અને સરકાર છે. તેમણે દાવો કર્યો હતો કે UPમાં SPના ગુડારાજની વાપસી અસંભવ છે અને ભાજપ 2027 વિધાનસભા ચૂંટણીમાં 2017નું પરિણામ લાવશે.

મોર્યની આ પોસ્ટ પર SPના સિનિયર નેતા અને અખિલેશ યાદવના કાકા શિવપાલ સિંહ યાદવે કહ્યું હતું કે PDA સામાજિક ન્યાયના વિસ્તારની ગેરન્ટી છે. PDA દરેક દલિત, અલ્પસંખ્યક, વંચિત અને પછાતના અધિકારની ગેરન્ટી છે.

જોકે ભાજપનું ફોકસ હવે રાજ્યમાં થનારી 10 વિધાનસભાની સીટોની પેટા ચૂંટણી પર છે. પાર્ટી એની તૈયારીમાં લાગી ગઈ છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular