Thursday, June 12, 2025
Google search engine
HomeNewsNationalચૂંટણી પછી CM યોગીની ખુરશી જવાનો અખિલેશનો દાવો

ચૂંટણી પછી CM યોગીની ખુરશી જવાનો અખિલેશનો દાવો

લખનૌઃ લોકસભા ચૂંટણીમાં અખિલેળ યાદવની પાર્ટી મળેલી સફળતા પછી તેઓ સતત ભાજપ અને CM યોગી પર તીખો હુમલો કરી રહ્યા છે. રાજ્યમાં નવ સીટો પર થનારી પેટા ચૂંટણીમાં પ્રચાર દરમ્યાન SPપ્રમુખ ભાજપની હારનો દાવો કરી રહ્યા છે. તેઓ વારંવાર કહેતા રહે છે કે CM યોગીની ખુરશી જવાની છે.

મુરાદાબાદના કુંદરકીની સભામાં તેમણે કહ્યું હતું કે CM યોગીની ખુરશી જવાની છે. દિલ્હીવાળા તેમને CMની ખુરશીથી હટાવવા માટે તક શોધી રહ્યા છે. હવે તેઓ કહે છે કે મહારાષ્ટ્ર ચૂંટણી પછી તેમની ખુરશી જવાની છે. ભાજપના નકારાત્મક રાજકારણને લોકોએ નકાર્યું છે. ઇન્ડિયા ગઠબંધનની જીત થશે. CM યોગીની ખુરશી જવી નિશ્ચિત છે. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો આવતાં તેમની ખુરશી જશે, એમ તેમણે કહ્યું હતું.

તેઓ EVM અને પોલીસ વહીવટી તંત્ર પર વારંવાર સરકારની મદદ કરવાનો આરોપ લગાવતા રહે છે. પેટા ચૂંટણી માટે પ્રચાર દરમ્યાન તેમણે એ આરોપ વારંવાર લગાવ્યા હતા. હવે EVM અને હેરફેર કરીને એ લોકો નથી જીતવાના. ભાજપ રાજ્યમાં ખતમ થઈ ગયો છે. રાજ્યની જનતા ઇન્ડિયા ગઠબંધનની સાથે જવાનું મન બનાવી ચૂકી છે.

ઉત્તર પ્રદેશમાં 10 ખાલી બેઠકોમાંથી નવ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ગાઝિયાબાદ ઉપરાંત પીમાં ફુલપુર, મઝવાન, ખેર, મીરાપુર, સિસામાઉ, કટેહારી, કરહાલ અને કુંડારકી બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular