Monday, June 16, 2025
Google search engine
HomeNewsNationalસાત મહિના હિરાસતમાં રહ્યા પછી હવે સંસદમાં અવાજ ઉઠાવીશઃ ફારુક અબદુલ્લા

સાત મહિના હિરાસતમાં રહ્યા પછી હવે સંસદમાં અવાજ ઉઠાવીશઃ ફારુક અબદુલ્લા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 દૂર કર્યા બાદ અટકાયતમાં લેવામાં આવેલા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લાને છોડી મૂકવામાં આવ્યા છે. તેમના પર લગાવવામાં આવેલો પબ્લિક સેફ્ટી એક્ટ પણ દૂર કરવામાં આવ્યો છે. તેઓ આશરે સાત મહિનાથી હિરાસતમાં હતા. ફારુક અબદુલ્લાને તેમના પુત્ર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમર અબદુલ્લા અને અન્ય નેતાઓની સાથે પાંચ ઓગસ્ટથી હિરાસતમાં લેવામાં આવ્યા હતા. કેટલાક દિવસો પહેલાં આઠ વિપક્ષી પાર્ટીઓઅ ભાજપના નેતૃત્વવાળી સરકારથી માગ કરી હતી કે કાશ્મીરમાં હિરાસતમાં લેવાયેલા નેતાઓને જલદી છોડવામાં આવે છે, જેમાંથી ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લા, ઉમર અબદુલ્લા અને મહેબૂબા મુફ્તી  સામેલ હતા.

જમ્મુ-કાશ્મીરના ગૃહ વિભાગે એક નોટિફિકેશન દ્વારા તેમને છોડી મૂક્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર જન સુરક્ષા અધિનિયમ 1978ની કલમ 19ની પેટા કલમ એક હેટળ જમ્મુ-સરકાર 15 સપ્ટેમ્બર, 2019એ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેમને નજરકેદ રાખવામાં આવે છે.

ફારુક અબદુલ્લાએ કહ્યું કે હવે સંસદમાં અવાજ ઉઠાવીશ

ફારુક અબદુલ્લાએ કહ્યું હતું કે અમારી આઝાદી માટે અવાજ ઉઠાવનાર લોકોનું આભારી છું. મને બધા નેતાઓને છોડી મકાયા પછી આ આઝાદી પૂરી ગણાશે મને આશા છે કે ભારત સરકાર હવે બધા નેતાઓને છોડી મૂકશે. હવે હું સંસદમાં જઈશ અને લોકોનો અવાજ ઉઠાવીશ, એમ તેમણે કહ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular