Monday, June 9, 2025
Google search engine
HomeNewsNationalમણિપુરના છ વિસ્તારોમાં ફરીથી લાગુ થયો AFSPA

મણિપુરના છ વિસ્તારોમાં ફરીથી લાગુ થયો AFSPA

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા મણિપુરના હિંસા પ્રભાવિત જિરીબામ સહિત છ જિલ્લાઓને અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ જિલ્લાઓમાં AFSPA કાયદો લાગુ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે આજે મણિપુરના પાંચ જિલ્લાઓ (ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ ઇસ્ટ, જિરીબામ, કાંગપોકપી, સેકમાઈ અને લમસાંગ અને બિષ્ણુપુર)નાં છ પોલીસ સ્ટેશનોમાં સશસ્ત્ર દળો (વિશેષ સત્તાઓ) અધિનિયમ, 1958 ને AFSPA તાત્કાલિક અસરથી 31 માર્ચ, 2025 સુધી લંબાવ્યો છે.

આ તાજો આદેશ મણિપુર સરકાર દ્વારા એક ઓક્ટોબરે આ છ પોલીસ સ્ટેસન સહિત 19 પોલીસ સ્ટેશનો સિવાય રાજ્યમાં અફસ્પા લાગુ કર્યા પછી આવ્યો છે. મણિપુરના જિરીબામ જિલ્લામાં ઉગ્રવાદીઓએ એક પોલીસ સ્ટેશન અને CRPF શિબિર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ત્યારે બાદ સુરક્ષા દળો સાથે અથડામણમાં 11 સંદિગ્ધ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા.

શું છે AFSPA?

1980ના દાયકાના પ્રારંભથી મણિપુરમાં અમલમાં આવેલ AFSPA, વસાહતી યુગના વટહુકમ પર આધારિત છે. તે “વિક્ષેપિત વિસ્તારોમાં” જાહેર વ્યવસ્થા જાળવવા માટે સશસ્ત્ર દળોને વિશેષ સત્તાઓ પ્રદાન કરે છે. દળોને વ્યાપક સત્તા આપવાને કારણે આ કાયદાની આકરી ટીકા થઈ છે. AFSPA હેઠળ, ફરજ પર હોય ત્યારે દળો સામેના આરોપોને લગતા કેસોમાં કેન્દ્ર સરકારની પરવાનગી વિના કોઈ કાનૂની કાર્યવાહી કરી શકાતી નથી. સશસ્ત્ર દળો સામે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી માટે કેન્દ્ર સરકારની પૂર્વ પરવાનગી જરૂરી છે. એપ્રિલ, 2022માં ઇમ્ફાલ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાંથી, છ જિલ્લાના 15 પોલીસ સ્ટેશનના વિસ્તારોમાંથી અને એપ્રિલ 2023માં ચાર પોલીસ સ્ટેશનોમાંથી AFSPA દૂર કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular