Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsNationalસમિતિએ જાહેર વીમા કંપનીઓની નાણાકીય સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી

સમિતિએ જાહેર વીમા કંપનીઓની નાણાકીય સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સંસદીય મિતિ સામાન્ય જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓની નાણાકીય આરોગ્ય વિશે ચિંતિત છે. ઓટો અને આરોગ્ય પોર્ટફોલિયો સહિત લાભદાયક વેપારો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે, રિસ્ક મેનેજમેન્ટ પ્રથાઓમાં સુધારો કરવા, વેપારી અને રેસિડેન્શિયલ સંપત્તિઓનો ઉપયોગ નહીં કરવા, આધુનિકીકીરણ અને આઇટી સિસ્ટમને અપગ્રેડ કરવા છતાં સ્થાયી સમિતિએ મૂડીની માગ રિપોર્ટ (2023-24)માં કરવામાં આવી છે, કેમ કે સમિતિનું કહેવું છે કે મૂડી ખર્ચ વગેરે પૂરતાં પરિણામ નથી આપી રહી.

સંસદીય પેનલે રિપોર્ટમાં કહ્યું હતું કે ત્રણ મુખ્ય જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અર્થાત નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિ., યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિ. અને ઓરિયેન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિ.ની સોલ્વન્સીની સ્થિતિ હજી તણાવપૂર્ણ છે.

એ ચિંતાજનક છે કે નવી કરવ્યવસ્થામાં સ્લેબ અને દરોમાં ફેરફારની સાથે દેશમાં જીવન વીમા પોલિસી લેવામા ઘટાડો આવી શકે છે, કેમ કે વસતિનો એક મોટો હિસ્સો જીવન વીમાનાં ઉત્પાદનોમાં કર બચત સાધનોમાં મૂડીરોકાણ કરે છે, જે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અર્થતંત્રમાં લોન યોગ્ય- મૂડીરોકાણ ફંડ સૌથી મહત્ત્વનો સ્રોત છે.

પેનલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સમિતિ એ પણ આગ્રહ કરે છે કે વીમા ક્ષેત્રને ખોલવા માટે મૂલ્યાંકનને કરવા માટે એક વ્યાપક અભ્યાસ કરવામાં આવે, જેથી જરૂરી હોય તો વીમા ક્ષેત્રને નિયંત્રિત કરતા વીમા ક્ષેત્રમાં કોઈ ફેરફાર કરી શકાય.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular