Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalદેશમાં કોરોનાના નવા કેસોમાં 20 ટકાનો ઉછાળો

દેશમાં કોરોનાના નવા કેસોમાં 20 ટકાનો ઉછાળો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 22,431 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 318 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,38,94,312 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,49,856 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,32,00,258 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 24,602 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2,44,198એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.95 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,31,819 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 57.83 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 92.63 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 92,63,68,608 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 43,09,525 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular