Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 9765 નવા કેસ, 477નાં મોત

કોરોનાના 9765 નવા કેસ, 477નાં મોત

નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોના વાઇરસના નવો વેરિયેન્ટ ઓમિક્રોન બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વિશ્વના 27 દેશોમાં નવો વેરિયેન્ટ પહોંચી ચૂક્યો છે. દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 1100 કેસ મળ્યા છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 9765 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 477 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,46,06,541 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,69,724 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,40,37,054 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 8548 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 99,763એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 98.35 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.36 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,08,467 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 63.22 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 124.96 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,24,96,19,515 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 80,35,261 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular