Sunday, September 7, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 96,424 નવા કેસઃ કોવિડ-19એ 15 કરોડ બાળકોને ગરીબીમાં ધકેલ્યા

કોરોનાના 96,424 નવા કેસઃ કોવિડ-19એ 15 કરોડ બાળકોને ગરીબીમાં ધકેલ્યા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 52 લાખને પાર થયા છે.  આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 96,424 નવા કેસ સામે આવ્યા છે.. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1174 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત 17 દિવસથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 52,14,677 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 84,372 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 41,12,551 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 10,17,754 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78.64 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.63 ટકા થયો છે. દેશમાં પહેલી વાર કોરોનાના સક્રિય કેસો 10 લાખને પાર થયા છે.

કોવિડ-19એ 15 કરોડ બાળકોને ગરીબીમાં ધકેલ્યાઃ યુનિસેફ

યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમર્જન્સી ફંડ (UNICEF)ના એક નવા વિશ્લેષણ અનુસાર આ વર્ષના પ્રારંભે કોવિડ-19ના રોગચાળો શરૂ થયા પછી વિશ્વભરમાં 15 કરોડ બાળકો ગરીબીના ખપ્પરમાં આવી ગયા છે. એનાથી વિશ્વભરમાં ગરીબીના વિવિધ હાલતમાં રહેતાં બાળકોની સંખ્યા વધીને આશરે 1.2 અબજ થઈ ગઈ છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular