Sunday, July 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 9,121ના નવા કેસ, 81નાં મોત 

કોરોનાના 9,121ના નવા કેસ, 81નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના 11,000થી વધુ નવા કેસ નોંધાયા છે. દેશમાં નવા કેસો ઘણા સમયથી 20,000થી નીચે આવી રહ્યા છે. એ સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.09 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 9,121 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 81 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,09,25,710 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,55,813 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,06,33,025  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 11,805 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,36,872 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.26 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.

 દેશમાં 87 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 87,20,822 લાખની આસપાસ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 4,35,527 કોરોના રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular