Monday, December 1, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 9119 નવા કેસ, 396નાં મોત

કોરોનાના 9119 નવા કેસ, 396નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 9119 નવા કેસ સામે આવ્યા છે, જે ગઈ કાલની તુલનાએ 1.76 ટકા ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 396 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,45,44,882 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,66,980 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,39,67,962 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 10,264 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,09,940એ પહોંચી છે, જે છેલ્લા 536 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.33 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.35 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1150,538 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 62.57 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 119.38 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,19,38,44,741 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 90,27,638 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular