Monday, May 26, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 9,110ના નવા કેસ, 78નાં મોત 

કોરોનાના 9,110ના નવા કેસ, 78નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.08 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 9,110 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 78 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,08,47,304 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,55,158 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,05,48,521  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 11,016 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,43,625 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.13 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.

 દેશમાં 62 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 62,59,008 લાખની આસપાસ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 4,46,646 કોરોના રસી આપવામાં આવી હતી. 15 રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. છેલ્લા સાત દિવસમાં કોરોના સંક્રમણના કેસ આજે સૌથી ઓછા નોંધાયા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular