Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsNationalદેશમાં 56 ટકાના ઉછાળા સાથે 90,928 નવા કેસ

દેશમાં 56 ટકાના ઉછાળા સાથે 90,928 નવા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 56.5 ટકાના ઉછાળાની સાથે કોરોનાના 90,928  નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 325  લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,51,09,286 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,82,876 લોકોનાં મોત થયાં છે.

દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 2630એ પહોંચી છે, જેમાં 995 દર્દીઓ ઠીક થઈ ચૂક્યા છે. ઓમિક્રોનના કેસો 26 રાજ્યોમાં નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 797 નોંધાયા છે અને બીજા ક્રમે દિલ્હીમાં 465 કેસો છે.દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,43,41,009 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 19,206 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2,85,401એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.81 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.38 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,13,030 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 68.01 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 148.67 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,48,67,80,227 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 91,25,227 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular