Tuesday, October 14, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 6822 નવા કેસ, 220નાં મોત

કોરોનાના 6822 નવા કેસ, 220નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા 7000ની નીચે પહોંચી છે. દેશમાં એક તફ કોરોનાના દૈનિક કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે નવા વેરિયેન્ટ ઓમિક્રોને લોકોમાં દહેશત વધારી છે. અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રોનના 23 કેસો નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રમાં 10, રાજસ્થાનમાં નવ અને દિલ્હીમાં એક કેસ સામે આવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 6822 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 220 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,46,48,383 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,73,757 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,40,79,612 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 10,004 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 95,014એ પહોંચી છે. જે 554 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.36 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.37 ટકા થયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 10,79,384 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 63.65 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 128.76 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,28,76,10,590 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 79,39,038 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular