Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 8439 નવા કેસ, 195નાં મોત

કોરોનાના 8439 નવા કેસ, 195નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા છેલ્લા 12 દિવસોથી 10,000ની નીચે અને સતત 164 દિવસોથી 50,000થી ઓછા નોંધવામાં આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 8439 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 195 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,46,56,822 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,73,952 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,40,89,137 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 9525 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 93,733એ પહોંચી છે. જે 554 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.36 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.37 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 12,13,130 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 63.77 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 129.54 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,29,54,19,975 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 73,62,000 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular