Wednesday, July 2, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 8309 નવા કેસ, 236નાં મોત

કોરોનાના 8309 નવા કેસ, 236નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 8309 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 236 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,45,80,832 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,68,790 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,40,08,183 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 9905 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,03,859એ પહોંચી છે, જે છેલ્લા 544 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.34 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.36 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 7,62,268 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 62.99 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 122.41 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,22,41,68,929 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 42,04,171 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular