Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 75,809 નવા કેસ, 1133નાં મોત

કોરોનાના 75,809 નવા કેસ, 1133નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 75,809 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1133 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 42,80,422 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 72,775 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 33,23,950 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,83,697 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.77 ટકા થયો છે.

રાજધાની એક્સપ્રેસમાં 20 પ્રવાસીઓ કોરોના પોઝિટિવ

દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં  કોરોના વાયરસના પરીક્ષણમાં અમદાવાદ સ્ટેશન પર 20 મુસાફરો કોરોના પોઝિટિવ  મળી આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પૈકીના 18 મુસાફરોની તપાસ દરમિયાન કોરોનાનાં ચિહનો જોવા નથી મળ્યાં. કુલ 20 મુસાફરોમાંથી, બેની ઉમર 70 વર્ષથી વધુ ઉંમરના હોવાથી તેમને લાઇફ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે .

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular