Friday, June 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 7495 નવા કેસ, 434નાં મોત

કોરોનાના 7495 નવા કેસ, 434નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોન વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારા વચ્ચે કોરોના કેસોમાં પણ વધારો થયો છે. ઓમિક્રોનના કેસોની સંખ્યા 269એ પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 7495 નવા કેસ સામે આવ્યા છે. જે ગઈ કાલની તુલનાએ 18.6 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 434  લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,47,65,976 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,78,759 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,42,08,926 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 6960 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 78,2191એ પહોંચી છે, જે 581 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.40 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.38 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 12,05,775 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 60.60 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

  દેશમાં 139.69 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,39,69,76,774 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 70,17,671 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular