Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 72,330ના નવા કેસ, 459નાં મોત 

કોરોનાના 72,330ના નવા કેસ, 459નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના 50,000થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના નવા કેસોમાં 35 ટકાનો ઉછાળો આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 72,330 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 459 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,22,21,665 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,62,927 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,14,74,683 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 40,382 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,84,055 પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.89 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

દેશમાં 6.51 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 6,51,17,896 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે.  ગઈ કાલે 20,63,543 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular