Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 7145 નવા કેસ, 289નાં મોત

કોરોનાના 7145 નવા કેસ, 289નાં મોત

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના નવી મુંબઈની એક સ્કૂલમાં એક વિદ્યાર્થી સંક્રમિત થયો હતો, જે પછી અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવતાં વધુ 16 વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળ્યા હતા. જે વિદ્યાર્થી સંક્રમિત માલૂમ પડ્યો હતો, એના પિતા હાલમાં જ કતારથી પરત ફર્યા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 7145 નવા કેસ સામે આવ્યા છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 289 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,47,33,194 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,77,158 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,41,71,471 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 8706 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 84,565એ પહોંચી છે, જે 571 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.38 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.37 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 12,45,402 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 60.24 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 136.66 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,36,66,05,173 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 62,06,244 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular