Monday, July 7, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 6990 નવા કેસ, 190નાં મોત

કોરોનાના 6990 નવા કેસ, 190નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 6990 નવા કેસ સામે આવ્યા છે, જે છેલ્લા 551 દિવસોમાં સૌથી ઓછા છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 190 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,45,87,822 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,68,980 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,40,18,299 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 10,116 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,00,543એ પહોંચી છે, જે છેલ્લા 544 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.35 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.36 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 10,12,523 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 63.10 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 123.25 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,23,25,02,767 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 78,80,545 લોકોને રસી આપવામાં આવી હતી.

બાળકો માટે રસી આવતા મહિને

દેશમાં વધુ જોખમવાળાં બાળકો માટે રસીકરણ ડિસેમ્બરમાં શરૂ થશે. એ પછી નવા વર્ષથી પહેલા ત્રિમાસિકમાં સ્વસ્થ બાળકોનું રસીકરણ કરવામાં આવશે, એમ કોવિડ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડો. એન.કે. અરોડાએ જણાવ્યું હતું.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular