Sunday, May 25, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 6984 નવા કેસ, 247નાં મોત

કોરોનાના 6984 નવા કેસ, 247નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 6984 નવા કેસ સામે આવ્યા છે. જે ગઈ કાલની તુલનાએ 20.7 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 247 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,47,10,628 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,76,135 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,41,46,931 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 8168 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 87,562એ પહોંચી છે, જે 571 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.38 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.37 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,84,883 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 65.88 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 134.61 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,34,61,14,483 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 68,89,025 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular