Sunday, June 1, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 68,020 નવા કેસ, 291નાં મોત

કોરોનાના 68,020 નવા કેસ, 291નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 68,020 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે છેલ્લા 24 કલાકમાં 291 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,20,39,644 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,61,240 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,13,55,993  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 32,231 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,21,808 પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.32 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 40,414 નવા કેસ સામે આવ્યા છે. પંજાબમાં 2870, મધ્ય પ્રદેશમાં 2276, કર્ણાટકમાં 3082 અને ગુજરાતમાં 2270 નવા કેસ સામે આવ્યા છે.

 દેશમાં 6.05 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 6,05,30,435 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2,60,30,435 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular