Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 67,597 નવા કેસ, 1188નાં મોત

કોરોનાના 67,597 નવા કેસ, 1188નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી છે. જેથી નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67,597 નવા કેસ નોંધાયા છે. જેમાં ગઈ કાલની તુલનાએ 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગઈ કાલના કોરોના 83.87 હજાર કેસો નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1188 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,23,39,611 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,04,062 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,08,40,658 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,80,456 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 9,94,891એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.46 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 13,46,534 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 74.29 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 5.02 ટકા છે અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 8.30 ટકા છે.

દેશમાં 170.21 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,70,21,72,615 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 55,78,297 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular