Friday, May 30, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 6563 નવા કેસ, 132નાં મોત

કોરોનાના 6563 નવા કેસ, 132નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કુલ ઓમિક્રોનના કેસોએ 150ની સંખ્યા પાર કરી છે. રાજ્યમાં પણ ઓમિક્રોનની સંખ્યા 15ને પાર પહોંચી છે.  છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 6563 નવા કેસ સામે આવ્યા છે. જે ગઈ કાલની તુલનાએ 7.3 ટકા ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 132 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,47,46,838 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,77,554 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,41,87,017 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 8077 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 82,267એ પહોંચી છે, જે 571 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.39 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.37 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 8,77,079 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 60.24 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 137.67 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,37,67,20,359 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 15,82,359 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular