Friday, June 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 61,267 નવા કેસ, 884નાં મોત

કોરોનાના 61,267 નવા કેસ, 884નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 66 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 61,267 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 884 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 66,85,082 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,03,569 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 56,62,490 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 75,787 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,19,023 પહોંચી છે. રિકવરી રેટ વધીને 84.70 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.54 ટકા થયો છે.

દેશમાં કોરોનાના આઠ કરોડ ટેસ્ટ પૂરા થઈ ગયા છે. દેશમાં પાછલા 10 દિવસમાં એક કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિશ્વમાં અમેરિકા પછી બીજા સૌથી વધુ ટેસ્ટ કરવાવાળો દેશ છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular