Saturday, July 26, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 55,342 નવા કેસો, 706નાં મોત

કોરોનાના 55,342 નવા કેસો, 706નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 71 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 55,342 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 706 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 71,75,880 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,09,856 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 62,27,295 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 77,760 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,38,853 પહોંચી છે. રિકવરી રેટ વધીને 86.78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.53 ટકા થયો છે.

જોન્સન એન્ડ જોન્સને પણ વેક્સિનનું પરીક્ષણ અટકાવ્યું

ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધતા જઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં દર્દીઓની સંખ્યા 71 લાખને પાર પહોંચી છે. કોરોના વેક્સિન વિકસિત કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અમેરિકાની જોન્સન એન્ડ જોન્સને હાલમાં કોરોનાની વેક્સિનનું પરીક્ષણ અટકાવું દીધું છે. આ પરીક્ષણમાં ભાગ લઈ રહેલો શખસ કોઈક રીતે બીમાર થયા પછી પરીક્ષણને અટકાવવામાં આવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular