Wednesday, July 23, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 54,069 વધુ નવા કેસ, 1321નાં મોત

કોરોનાના 54,069 વધુ નવા કેસ, 1321નાં મોત

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 54,069 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1321 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,00,82,78 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,91,981  લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,90,53,740  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 68,885 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,27,057એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.61 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.30 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં 18,59,469 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 2.08 ટકા છે.

દેશમાં 30.16 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 30,16,26,028 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 64,89,599 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular