Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 53,480ના નવા કેસ, 354નાં મોત 

કોરોનાના 53,480ના નવા કેસ, 354નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના 50,000થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 53,480 નવા કેસ સામે આવ્યા છે.  આ સાથે છેલ્લા 24 કલાકમાં 354 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,21,49,335 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,62,468 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,14,34,301  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41,280 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,52,566 પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.11 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ નવા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 27918 કેસ, છત્તીસગઢમાં 3108, કર્ણાટકમાં 2975, કેરળમાં 2389 અને તામિલનાડુમાં 2342 નવા કેસ નોંધાયા છે.

 દેશમાં 6.30 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 6,30,54,353 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે.  ગઈ કાલે 19,40,999 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular