Monday, August 4, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 53,256 વધુ નવા કેસ, 1422નાં મોત

કોરોનાના 53,256 વધુ નવા કેસ, 1422નાં મોત

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 53,256 નવા કેસ સામે આવ્યા છે. જે છેલ્લા 88 દિવસોમાં સોથી ઓછા છે. છેલ્લા 24 કલાકમાં 1422 લોકોનાં મોત થયાં છે. આજે યોગ દિવસની સાથે રસીકરણનું મહા અભિયાન શરૂ થઈ રહ્યું છે. બધી ઉંમરના લોકોને મફત રસી લાગશે. વળી, એ માટે કોવિન પોર્ટલ પહેલાંથી રજિસ્ટ્રેશન પણ જરૂરી નથી. જોકે ખાનગી હોસ્પિટલોમાં રસી માટે પૈસા ચૂકવવા પડશે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,99,35,221 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,88,135  લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,88,44,199  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 78,190 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,02,887એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.16 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.29 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં 13,88,699 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 2.35 ટકા છે.

દેશમાં 28 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 28,00,36,898 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 30,39,996 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular