Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 51,667 વધુ નવા કેસ, 1329નાં મોત

કોરોનાના 51,667 વધુ નવા કેસ, 1329નાં મોત

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 51,667 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1329 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,01,34,445 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,93,310  લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,91,28,267 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 64,527 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,12,868એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.66 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.31 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં 17,35,781 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 2.03 ટકા છે.

દેશમાં 30.79 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 30,79,48,744 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 60,73,912 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular