Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોના ઈફેક્ટઃ ઈરાનથી 53 ભારતીયોને પાછા લવાયા

કોરોના ઈફેક્ટઃ ઈરાનથી 53 ભારતીયોને પાછા લવાયા

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે વધારે પ્રભાવિત દેશો પૈકીનો એક દેશ ઈરાન પણ છે. ઈરાનમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક ભારતીયો ફસાયા હતા અને થોડા દિવસ પહેલા તો ગુજરાતી જૈન પરિવારના એક ભાઈએ વિડીયો સોશિયલ મીડિયા પર મૂકીને અમિત શાહ અને વડાપ્રધાન મોદી પાસેથી મદદની અપીલ પણ કરી હતી.

ત્યારે ઈરાનથી હવે 53 જેટલા ભારતીયોને એરલીફ્ટ કરીને ભારત લાવવામાં આવ્યા છે. અત્યારસુધીમાં કુલ 389 જેટલા ભારતીયોને ઈરાન લાવવામાં આવ્યા છે. આ 53 સદસ્યોના ગ્રૂપમાં 52 સ્ટુડન્ટ્સ અને 1 ટીચર છે. આ લોકોને એરલાઈન્સના ખાસ વિમાનના માધ્યમથી ભારત પરત લાવવામાં આવ્યા છે. ઈરાનથી આવેલા આ 53 ભારતીયોની ફ્લાઈટ મોડી રાત્રે 3.10 કલાકે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.

ભારતના વિદેશ મંત્રી ડો.જયશંકરે ઈરાનથી 53 ભારતીયોને એરલિફ્ટ કરાયાની માહિતી ટ્વિટ કરીને આપી હતી. વિદેશ મંત્રીએ પોતાની ટ્વિટમાં ભારતીયોનું ચોથુ ગ્રુપ ઈરાનના તહેરાન અને શિરાજથી ભારત પરત પહોંચી ચૂક્યું છે. જેમાં કુલ 53 લોકમાંથી 52 વિદ્યાર્થીઓ છે. અત્યાર સુધી કુલ 389 ભારતીયોને ઈરાનથી પરત લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રીએ ઈરાનમાં રહેલા ભારતીય દૂતાવાસના કર્મચારીઓના પ્રયાસો માટે આભાર માન્યો હતો.

ઈરાન બાદ સવારે 4.30 કલાકે યુરોપીય દેશોમાં ફસાયેલા ભારતીયોના 44 સદસ્યોનો ગ્રૂપને એમ્સ્ટર્ડેમથી KLM DUTCH એરલાઈન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા. એરપોર્ટથી તેઓને કડક સુરક્ષામાં છતરપુર સ્થિત આઈસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular