Saturday, July 5, 2025
Google search engine
HomeNewsNationalભારતમાં કોરોનાના નવા 4,987 કેસ, વધુ 120નાં મોત

ભારતમાં કોરોનાના નવા 4,987 કેસ, વધુ 120નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા તાજા આંકડા અનુસાર દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 90,000ને પાર થઈ છે. અત્યાર સુધી કોવિડ-19ને લીધે 2872 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં આ વાઇરસના નવા 4987 કેસો નોંધાયા છે અને 120 લોકોનાં મોત થયાં છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 34,109 લોકો રિકવર થઈ ચૂક્યા છે. રિકવરી રેટ 37.51 ટકા પહોંચ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30,000ને પાર

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી વધુ મહારાષ્ટ્રમાં છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 30,706એ પહોંચી છે અને 1135 લોકોનાં મોત થયાં છે.  રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 1500થી વધુ નવા કેસ આવ્યા છે.  છેલ્લા 24 કલાકમાં 67 લોકોનાં મોત થયાં છે. મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18,555 થઈ છે. મુંબઈમાં આ વાઇરસથી અત્યાર સુધી 696 થઈ છે.

લોકડાઉન 4.0ના માટેની ગાઇડલાઇન જાહેર કરાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક પેકેજનું એલાન કરતા સમયે સ્પષ્ટ કહ્યું હતું કે લોકડાઉન 4.0 લાગુ થશે. જોકે આ નવા નિયમોવાળું હશે. જેથી આજે લોકડાઉન 4.0ની ગાઇડલાઇન્સ આજે જાહેર કરાશે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular