Monday, June 30, 2025
Google search engine
HomeNewsNationalકોરાનાના નવા 49,310 કેસ, 740નાં મોત

કોરાનાના નવા 49,310 કેસ, 740નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 49,310 નવા કેસ સામે આવ્યા છે અને 740 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12 લાખને પાર થઈ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 12,87,945 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 30,601 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 8,17,208 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,40,135એ પહોંચી છે. રિકવરી રેટ 63.20 ટકાએ પહોંચ્યો છે.

વિશ્વમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 1.54 કરોડને પાર

વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણનો નવો રેકોર્ડ વધારો થયો છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,54,95,947એ પહોંચી છે અને 6.32,918 લોકોના મોત થયાં છે.

18 દેશોમાં બે લાખથી વધુ કેસ

વિશ્વના 18 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે લાખને પાર પહોંચી છે, એમાં ઇરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરેબિયા, ઇટાલી, જર્મની અને બંગલાદેશ પણ સામેલ છે. ભારત સૌથી વધુ કેસોની સંખ્યાને મામલે ત્રીજા નંબરે છે. જ્યારે સૌથી વધુ મોતના મામલે આઠમા નંબરે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular