Sunday, December 7, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 48,698 વધુ નવા કેસ, 1183નાં મોત

કોરોનાના 48,698 વધુ નવા કેસ, 1183નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 48,698 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1183 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,91,93,085 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,94,493 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,91,93,085  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 64,818 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,95,565એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.66 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.31 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં 17,45,809 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 1.97 ટકા છે.

દેશમાં 31.50 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 31,50,45,926 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 61,19,169 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular