Wednesday, November 12, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 47,905 નવા કેસો, 550નાં મોત

કોરોનાના 47,905 નવા કેસો, 550નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 86 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 47,905 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 550 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 86,83,916 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,28,121  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 80,66,501 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 52,718 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,89,294એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

 

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular