Friday, June 13, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 46,759 નવા કેસ, 509નાં મોત

કોરોનાના 46,759 નવા કેસ, 509નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના સંક્રમણના કેસો વધવા માંડ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 46,759 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 509 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,26,49,947 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,37,370 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,18,52,802 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 31,374 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,59,775એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેરળ, મહારાષ્ટમાં કેસોમાં વધારો

કેરળ અને મહારાષ્ટ્રમાં નવા કેસોએ ચિંતા વધારી દીધી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 4654 નવા કેસો, જ્યારે કેરળમાં 32,801 નવા કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 179, જ્યારે મહારાષ્ટ્રમાં 170 લોકોનાં મોત થયાં છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,61,110 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 51.45 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 62.29 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 62,29,89,134 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1,03,35,290 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular