Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 46,148 વધુ નવા કેસ, 979નાં મોત

કોરોનાના 46,148 વધુ નવા કેસ, 979નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસોની સંખ્યા 50,000ની આસપાસ આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 46,148 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 979 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,02,79,331 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,96,730 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,93,09,607 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 58,578 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. આ સતત 46મો દિવસ છે, જે સંક્રમણમુક્ત દર્દીઓની સંખ્યા નવા દર્દીઓથી વધુ છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,72,994એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.80 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.31 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં 15,70,515 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 2.81 ટકા છે.

દેશમાં 32.36 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 32,36,63,297 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 17,21,268 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular