Sunday, September 14, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 45,951 વધુ નવા કેસ, 817નાં મોત

કોરોનાના 45,951 વધુ નવા કેસ, 817નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 45,951 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 817 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,03,62,848 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,98,454 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,94,27,330 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 60,729 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,37,064એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.87 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.31 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં 19,60,757 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 2.34 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 41.01 કરોડ ટેસ્ટ થયા છે.

દેશમાં 33.28 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 33,28,54,527 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 36,51,983 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular