Thursday, June 19, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 45,892 વધુ નવા કેસ, 817નાં મોત

કોરોનાના 45,892 વધુ નવા કેસ, 817નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 45,892 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 817 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,07,09,557 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,05,028 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,98,43,825 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 44,291 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,60,704એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.18 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.32 ટકા થયો છે.

દેશમાં 36.48 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 36,48,47,549 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 33,81,671 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular