Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 4575 નવા કેસ, 145નાં મોત

કોરોનાના 4575 નવા કેસ, 145નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4575 નવા કેસ નોંધાયા છે. જેમાં ગઈ કાલ કરતાં 14.6 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 145 લોકોનાં મોત થયાં છે.રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 179.33 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,29,75,883 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,15,355 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,24,13,566 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 7416 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 46,962એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.69 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 8,97,904 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 77.34 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.71 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.73 ટકા છે.

 દેશમાં 179.33 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,79,33,99,555 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 18,69,103 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular