Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 43,733 વધુ નવા કેસ, 930નાં મોત

કોરોનાના 43,733 વધુ નવા કેસ, 930નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 43,733 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 930 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,06,63,665 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,04,211 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,97,99,534  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 47,240 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,59,920એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.18 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.32 ટકા થયો છે.

દેશમાં 36.13 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 36,13,23,548 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 36,05,998 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular