Sunday, June 29, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 43,393 વધુ નવા કેસ, 911નાં મોત

કોરોનાના 43,393 વધુ નવા કેસ, 911નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 43,393 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 911 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,07,52,950 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,05,939 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,98,88,284  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 44,459 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,58,727એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.19 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.32 ટકા થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ આઠ જુલાઈ સુધી દેશમાં કુલ 42.70 કરોડ લોકોના સેમ્પલની તપાસ થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 17.90 લાખ લોકોનાં સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

દેશમાં 36.89 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 36,89,91,222 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 40,23,173 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular