Saturday, June 14, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 42,982 વધુ નવા કેસ, 533નાં મોત

કોરોનાના 42,982 વધુ નવા કેસ, 533નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં ફરી એક વાર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 42,982 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 533 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,18,12,114 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,26,290 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,09,74,748  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41,726 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,11,076એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.37 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 16,64,030 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 47.45 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 48.93 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 48,93,42,295 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 37,55,115 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular