Thursday, July 17, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 41,965 નવા કેસ, 460નાં મોત

કોરોનાના 41,965 નવા કેસ, 460નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં 35.6 ટકાનો વધારો નોંધાયો છે.આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 41,965 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 460 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,28,10,845 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,39,020 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,19,93,644 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 33,964 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,78,181એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.51 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 16,06,785 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 51.45 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં 4000ની આસપાસ કેસ

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4688 નવા કેસ નોંધાયા છે. જેથી રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 64,64,876એ પહોંચી છે. આ સાથે મોતનો આંકડો 1,37,313એ પહોંચી છે.

દેશમાં 65.41 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 65,41,13,508 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1,33,18,508 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular