Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 41,806 વધુ નવા કેસ, 581નાં મોત

કોરોનાના 41,806 વધુ નવા કેસ, 581નાં મોત

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 41,806 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 581 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,09,87,880 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,11,989 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,01,43,850 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 39,130 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,32,041એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.28 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ 15 જુલાઈ સુધી દેશમાં કુલ 43.23 કરોડ લોકોના સેમ્પલની તપાસ થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 19,43,488 લાખ લોકોનાં સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

દેશમાં 39.1376 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 39,13,40,491 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 34,97,058 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular