Saturday, August 2, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 41,195 વધુ નવા કેસ, 490નાં મોત

કોરોનાના 41,195 વધુ નવા કેસ, 490નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોના વાઇરસના નવા કેસોમાં ઉતારચઢાવ જારી છે. દેશમાં ફરી એક વાર નવા કેસો 40,000ને પાર પહોંચ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 41,195 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 490 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,20,77,706 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,29,669 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,12,60,050 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 39,069 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,87,987એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.45 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 21,24,953 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 48.34 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 52.36 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 52,36,71,019 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 44,19,627 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular