Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના સૌથી વધુ 40,953ના નવા કેસ, 188નાં મોત 

કોરોનાના સૌથી વધુ 40,953ના નવા કેસ, 188નાં મોત 

નવી દિલ્હીઃ કોરાના વાઇરસ રોગચાળાની બીજી લહેર સંપૂર્ણ દેશને ચપેટમાં લીધો છે. પાછલા 24 કલાકમાં વર્ષ 2021ના સૌથી વધુ કેસો નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 40,953 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે છેલ્લા 24 કલાકમાં 188 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,15,55,284 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,59,558 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,11,07,332  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 23,653 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,88,394 પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.12 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.38 ટકા થયો છે.

 દેશમાં 4.20 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 4,20,63,332 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે.  ગઈ કાલે 27,23,575 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular